મુખ્ય સામગ્રી પર જાઓ

કોર્પોરેશનમાં ખાસ બેઠક યોજતા કૃષિમંત્રી

 


    જામનગર મહાનગરપાલિકામાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   મનીષ કટારીયા  તથા મ કમિશનર વિજયકુમાર ખરાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  શહેરની સુખાકારી માટેના લગત પ્રશ્નોની ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ ખાસ બેઠકમાં જામનગર શહેર ને લગતી ભૂગર્ભ ગટર ની સમસ્યાઓ  ,સ્ટ્રીટ લાઈટ ,પાણી વિતરણ, બિસ્માર માર્ગો જેવા પ્રશ્નોની જામ્યુકોના અધિકારીઓ સાથે વિચારણા કરી તાકીદે શહેર ના વિકાસ ને લગત સમસ્યાઓનું નિરાકરણ થાય તેવા સૂચનો પાઠવવામાં આવ્યા હતા.

    જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ હોલમાં મળેલી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતા માં આ ખાસ બેઠકમાં શહેરના સંગમ પાર્ક વિસ્તારમાં રસ્તા પર ઉગેલા બિનજરૂરી બાવળને દૂર કરવાની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા તથા પ્રાઇવેટ પ્લોટ માં આવતા બિનજરૂરી બાવળો ને દુર કરવા માટેની નોટિસો પાઠવવા  સોલિડવેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર  મુકેશ વરણવા ને સૂચના આપવામાં આવી હતી, શહેરના ખીમલીયા, પેટાપરા, વોર્ડ નંબર 11 ના વિસ્તારો તેમજ વોર્ડ નંબર 6ના વિસ્તારો તિરૂપતિ સોસાયટી પુષ્પા પાર્ક, સંગમ સોસાયટી સહિતના વિસ્તારોમાં નર્મદાનું પાણી સુચારુ રીતે પહોંચે તથા પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટેના વોટર વર્કસ વિભાગના નાયબ ઇજનેર  નરેશ પટેલ ને સૂચના આપવામાં આવી હતી , શહેરના વોર્ડ નંબર 6 માં સ્ટ્રીટલાઇટના પ્રશ્નો તથા નવા વીજપોલ ઊભા કરવા તેમજ નવી સ્ટ્રીટલાઇટો જરૂરિયાત મુજબ નાખવા માટેની સુચના લાઈટ શાખાના નાયબ ઈજનેર   ઋષભ મહેતાને શહેરીજનોની સુખાકારી માટે પૂરતી સ્ટ્રીટલાઇટની સગવડ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી, તેમજ વોર્ડ નંબર 6 અને દરેડ થી ચેલા સુધીના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી તૂટેલી અવસ્થામાં હોય જેના લીધે ગંદકી થતી હોય તેવા વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના નવા પાઇપ નાખવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર  મુકેશ  ચાવડાને સુચના આપવામાં આવી હતી.

    આ ખાસ બેઠકમાં  ઢીંચડા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં  15 ટ્રેક્ટર મોરમ તાત્કાલિક નાખી આપવા તેમજ દરેડ ગામમાં પ્રાથમિક શાળા નંબર -1  પાસેનો રસ્તો તાત્કાલિક ધોરણે પાક્કો બનાવવા અને ચેલા વિસ્તારમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળાનું બાંધકામ આવશ્યકતા ને ધ્યાને લઇ તથા વોર્ડ નંબર 6 માં સી.સી. રોડના બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા અને ધુવાવ ગામ ની હાઉસિંગ સોસાયટીમાં આંતરિક રસ્તાઓ નવા બનાવી આપવા સહિતની જનતાની સુખાકારી માટેના કાર્યો કરવાની સુચના સિવિલ શાખાના ઇજનેર  હિમાંશુ જેઠવાને આપવામાં આવી હતી.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...