મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • પ્રધાનમંત્રી આજે સુરતના હજીરા અને ભાવનગરના ધોધા વચ્ચે રો-પેકસ ફેરીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવશે.
  • ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી થઈ: એકઝીટ પોલ કહે છે, ભાજપા ને ૭ બેઠકો મળશે.
  • જામનગરના શંકર ટેકરી તથા દરેડના ત્રણ ઉદ્યોગનગરોમાં ૧૭૦૦૦ વીજગ્રાહકો હેરાન છે. કારખાનાઓમાં અવારનવાર કલાકો સુધી વીજપૂરવઠો બંધ થઇ જાય છે. છતાં તંત્ર દ્વારા કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત માસમાં ટ્રિપિંગ તથા કાયમી ફોલ્ટ દૂર કરવા લાઇન કલીયર માટે કુલ ૬૬ કલાકો દરમ્યાન ૨૩ વખત ટ્રિપિંગ થયું. કાયમી ફોલ્ટ દૂર કરવા ૪૨ વખત વીજપૂરવઠો બંધ રાખવામાં આવ્યો.
  • ફટાકડા અંગે ગૃહવિભાગે બહાર પાડેલું જાહેરનામું માત્ર ઇમ્પોર્ટેડ ફટાકડા બાબતે છે. ગુજરાત સરકાર દ્વારા ફટાકડા અંગે રવિવારની રાત્રિ સુધી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી.
  • ફટાકડા અંગે ગૃહવિભાગે મહાર પાડેલું જાહેરનામું માત્ર ઇમ્પોર્ટેડ ફટાકડા બાબતે છે. ગુજરાત સરકાર દ્વારા ફટાકડા અંગે રવિવારની રાત્રિ સુધી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી.
  • જામનગરના રણજિતસાગર રોડ પર પટેલનગરમાં રહેતાં ૪૦ વર્ષના આશાબેન અશોકભાઇ મહેતા ત્રણેક વર્ષથી બિમાર રહેતાં હતાં. બિમારીથી કંટાળી તેઓએ ઝેરી દવા પી લઇ જિંદગી ટૂંકાવી છે. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. મૃતકના પતિ અશોકભાઇ મનજીભાઇ મહેતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
  • જામનગરમાં દિવાળીના તહેવારો ટાંકણે મૃત્યુદરમાં ઉછાળો આવ્યો છે. કોરોના હોસ્પિટલમાં શનિવારે ૬ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જો કે પોઝિટીવ કેસોની સંખ્યા ઘટી છે અને સારવાર બાદ સાજા થતાં દર્દીઓની સંખ્યાવધી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...