મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • પ્રધાનમંત્રી આજે સુરતના હજીરા અને ભાવનગરના ધોધા વચ્ચે રો-પેકસ ફેરીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવશે.
  • ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી થઈ: એકઝીટ પોલ કહે છે, ભાજપા ને ૭ બેઠકો મળશે.
  • જામનગરના શંકર ટેકરી તથા દરેડના ત્રણ ઉદ્યોગનગરોમાં ૧૭૦૦૦ વીજગ્રાહકો હેરાન છે. કારખાનાઓમાં અવારનવાર કલાકો સુધી વીજપૂરવઠો બંધ થઇ જાય છે. છતાં તંત્ર દ્વારા કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત માસમાં ટ્રિપિંગ તથા કાયમી ફોલ્ટ દૂર કરવા લાઇન કલીયર માટે કુલ ૬૬ કલાકો દરમ્યાન ૨૩ વખત ટ્રિપિંગ થયું. કાયમી ફોલ્ટ દૂર કરવા ૪૨ વખત વીજપૂરવઠો બંધ રાખવામાં આવ્યો.
  • ફટાકડા અંગે ગૃહવિભાગે બહાર પાડેલું જાહેરનામું માત્ર ઇમ્પોર્ટેડ ફટાકડા બાબતે છે. ગુજરાત સરકાર દ્વારા ફટાકડા અંગે રવિવારની રાત્રિ સુધી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી.
  • ફટાકડા અંગે ગૃહવિભાગે મહાર પાડેલું જાહેરનામું માત્ર ઇમ્પોર્ટેડ ફટાકડા બાબતે છે. ગુજરાત સરકાર દ્વારા ફટાકડા અંગે રવિવારની રાત્રિ સુધી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી.
  • જામનગરના રણજિતસાગર રોડ પર પટેલનગરમાં રહેતાં ૪૦ વર્ષના આશાબેન અશોકભાઇ મહેતા ત્રણેક વર્ષથી બિમાર રહેતાં હતાં. બિમારીથી કંટાળી તેઓએ ઝેરી દવા પી લઇ જિંદગી ટૂંકાવી છે. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. મૃતકના પતિ અશોકભાઇ મનજીભાઇ મહેતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
  • જામનગરમાં દિવાળીના તહેવારો ટાંકણે મૃત્યુદરમાં ઉછાળો આવ્યો છે. કોરોના હોસ્પિટલમાં શનિવારે ૬ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જો કે પોઝિટીવ કેસોની સંખ્યા ઘટી છે અને સારવાર બાદ સાજા થતાં દર્દીઓની સંખ્યાવધી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...