જામનગરમાં પટેલવાડીમાં રહેતાં છિડશ ના વિશિષ્ટ શિક્ષિકા દિપશિખાબેન બદીયાણીએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, તેઓને સિનિયોરીટીમાં અન્યાય કરવામાં આવ્યો છે. માતૃ સંસ્થા જામનગરમાં બદલીઓ આપવાને બદલે તેઓને જામનગરથી ૧૧૫ કિલોમીટર દૂર તરસાઇ ખાતે બદલી આપવામાં આવી છે.
શિક્ષિકા જણાવે છે કે, મારે પિતા કે ભાઇ નથી. ૭૦ વર્ષના માતા બિમાર છે. નોકરી અંગે વાંધા અરજી, રજૂઆતો કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. ૧૫ દિવસમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તંત્ર વિરૂધ્ધ કાનૂની પગલાંની તેઓએ લેખિતમાં ચિમકી આપી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો