જામનગરની કોરોના હોસ્પિટલમાં તબીબો, સિકયોરીટી તથા સ્ટાફે મૃત્યુ પામેલાં દર્દીઓની અંદાજે પચાસ લાખની કિંમતી ચીજવસ્તુઓ દાગીના પરત કર્યા છે. જેમાં સોનાની ૫૯ બુટી, ૩૫ વીંટી, ૪૬ દાણા, ૩ ચેઇન, ૨૫ ચાંદીના સાંકળા, ૪ કંઠી, ૮ વીંટી, ૪ માછલી, ૮ કઇડા, ૬૧ બંગડી, રૂપિયા ૯૧૩૫૯ રોકડા, ૧૧૫ કિંમતી સ્માર્ટ ફોન, ૧૪૬ સાદા મોબાઇલ, ૧૪ ઘડિયાળ, ૨૯ ટેબલ પંખા તથા ૧૩૭ મોબાઇલ ચાર્જરનો સમાવેશ થાય છે.
સિકયોરીટીના અલ્પેશભાઇ અગ્રાવત, એ.બી. કદમ, સમશેરઅલી અન્સારી, નાથાભાઇ માડમ, અસુભા ગોહિલ તથા જયરાજસિંહ વગેરે આ તકે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો