મુખ્ય સામગ્રી પર જાઓ

અંતે રોડ તોડવાનું શરૂ



    જામનગરના વોર્ડ નંબર ૪ માં દ્વારકેશ પાર્ક (રામેશ્વરનગર) ખાતે મહાનગરપાલિકાના ઇજનેરોએ મકાનોના પ્લીન્થની ઉંચાઇ કરતાં વધુ ઉંચાઇએ રોડ બનાવી નાંખતા, રોડ પરનું પાણી ઘરોમાં ધૂસી જશે એ બીકે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવેલો. શાસકપક્ષનાં જ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આ મામલે સિટી ઇજનેરને વાત કરતાં તેઓએ તંત્રને રોડ તોડી ફરીથી નવો બનાવવા સૂચના આપેલી પછી પણ તંત્રએ રોડ ન તોડતાં, કોર્પોરેટરની આગેવાની હેઠળ સ્થાનિક મહિલાઓએ કોર્પોરેશનમાં કમિશનર કચેરી સમક્ષ દેખાવો કર્યા. થાળીઓ વગાડી, કોન્ટ્રાકટર, તંત્રની મિલી ભગતના આક્ષેપો થયાં, આ વોર્ડના અન્ય ૩ કોર્પોરેટરને પણ નિશાન બનાવાયા, સ્થાનિક લોકો વચ્ચે રોડ બાબતે મતભેદો, લડાઇ શરૂ કરાવવાનો પણ કોન્ટ્રાકટર પર આક્ષેપ થયો. મામલો ગરમ બન્યો.

    બાદમાં, અંતે મહાનગરપાલિકાએ જેસીબીની મદદથી ગુરૂવારે સાંજે આ તાજો બનેલો ઉંચો રોડ તોડવાની કામગીરી શરૂ કરી છે. 

    આ રોડ આટલી ઉંચાઇએ બન્યો શું કામ ? આ કામગીરી દરમ્યિાન સિવીલ શાખાના નિરીક્ષક કે સીટી ઇજનેર શું કરતાં હતાં? આ રોડ તોડતાં જે નુકશાન થશે તેની ભરપાઇ કોણ કરશે? આટલી બેદરકારી દાખવનાર નિરક્ષક-ઇજનેર કે કોન્ટ્રાકટર ઉપર કોઇ પગલાં લેવાશે કે કેમ તે પણ સો મણનો સવાલ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...