મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર


  • હાલારમાં વીજચોરીના ૧૨૯૫૪ કેસ લાંબા સમયથી પૂર્ણ થયા નથી. જામનગર, દ્વારકા બે જિલ્લા વચ્ચે વીજતંત્ર પાસે માત્ર એક જ પોલીસમથક છે. તેમાં પણ ૫૦ ટકાથી ઓછો સ્ટાફ છે. જામનગરમાં ૨૦૧૬ ની સાલથી આ પોલીસમકથ કાર્યરત છે. મહેકમ અનુસાર ૪ વર્ષથી ભરતી થઇ નથી. અગાઉ વિવિધ શહેરોના વીજકર્મચારીઓને આ પોલીસ મથકમાં હંગામી ફરજ સોપાતી, હવે તેના પણ પણ બ્રેક છે. વીજચોરી ઝડપી લેવા બંદોબસ્ત માટે પણ પૂરતો સ્ટાફ નથી. બે જિલ્લામાંથી કુલ ૩૧ સબડિવિઝન વચ્ચે માત્ર ૧ જ પોલીસમથક છે. ઇન્ડિયન ઇેલેકટ્રિસિટી એકટ હેઠળ નોંધાયેલા વીજચોરીના કેસોની તપાસ આ મથક કરે છે. ૩૧ નું મહેકમ છે, માત્ર ૧ પોલીસ અધિકારી, ૮ પોલીસકર્મી છે. ઓછામાં ઓછા ૨૮ અધિકારી-કર્મચારી તો હોવા જ જોઇએ. સરકારનો ખુદનો નિયમ છે.
  • દિવાળી આવતાં મહાનગરપાલિકાની ફૂડશાખાએ મુખવાસની દુકાનોમાં ચેકીંગ શરૂ કર્યું છે. માત્ર તહેવારોમાં ચેકીંગથી લોકોને તંત્ર પર શંકાઓ છે. લેબોરેટરીમાં કેટલાંક નમૂના પાસ થાય છે, કેટલાં નમૂના નાપાસ થાય છે, તેની વિગતો પણ તંત્ર છૂપાવે છે!
  • જામનગરના વિવિધ વિસ્તારોમાં શ્રધ્ધાળુ મહિલાઓએ કડવાચોથની ઉજવણી કરી હતી. ચંદ્રના અજવાળે છિદ્રવાળી (ચારણી)વાસણમાંથી પતિનું મુખ નિહાળી, પૂજન દ્વારા આ પરંપરા નિભાવી હતી.
  • પોસ્ટઓફિસ બચતખાતમાં ખાતાં ધારકે મિનિમમ રૂપિયા ૫૦૦ ની બેલેન્સ રાખવી પડશે. આ રકમ જાળવવામાં નિષ્ફળ રહેનાર ખતા ધારકો પાસેથી રૂપિયા ૧૦૦ વાર્ષિક ફી તથા ૧૮ ટકા લેખે રૂપિયા ૧૮ જીએસટી વસૂલવામાં આવશે. આ ફી બાદ કરતાં રકમ શૂન્ય થશે તો ખાતું આપોઆપ બંધ થશે. ખાતાં ધારકોએ ૧૧ મી ડિસેમ્બર સુધીમાં પોતાના ખાતામાં રૂપિયા ૫૦૦ ની બેલેન્સ કરી આપવાની રહેશે, તે પછી આ નિયમ લાગુ પડશે.
  • જામનગર મહાનગરપાલિકામાં વેરાઓ-ચાર્જ લોકો સરળતાથી ભરી શકે તે માટે કુલ ૧૮ ડિજિટલ સેવાઓ કાર્યરત છે. જેમાં કાર્ડ ઉપરાંત વિવિધ એપ, બેંકો, નેટ બેંકીગ વગેરેની સુવિધા છે.
  • ઋતુઓનો સંક્રમણકાળ ચાલી રહ્યો છે. શિયાળાનો પગરવ શરૂ થયો છે. લોકો બેવડી ઋતુના કારણે બિમાર થઇ રહ્યા છે. શરદી, ઉધરસ, તાવ, ગળામાં તકલીફ જેવા રોગો વધ્યા છે. લોકોેએ ગરમ, તાજાં ખોરાક સહિતની ટેવો સ્વસ્થતા માટે અમલમાં મૂકવી જરૂરી છે.

ટિપ્પણીઓ