જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલના કૌભાંડો સાથે સંકળાયેલાં કુલ ૮ શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા પછી, આ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે રાજકોટ રૂરલની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવેલાં.
ખાસ અદાલતે બિલ્ડર નિલેશ ટોલીયા, નગર સેવક (ભાજપા) અતુલ ભંડેરી, નિવૃત એએસઆઇ વશરામ મિયાત્રા, અખબાર સંચાલક પ્રવિણ ચોવટિયા, જમીનના ધંધાર્થી અનિલ પરમારના તા. ૨૯/૧૦/૨૦૨૦ સુધીના રિમાન્ડ અને બિલ્ડર પ્રફૂલ પોપટ, મુકેશ અભંગી, ફોરેકસ ધંધાથી જિગર આડતિયાના ૨૬/૧૦/૨૦૨૦ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજસીટોક હેઠળ ઝડપાયેલાં અન્ય આરોપીઓના નામો:જશપાલસિંહ-યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સુનિલ ચાંગાણી, વી.એલ.માનસતા.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો