કોરોના મહામારીના કારણે સરકારે નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ મૂકયો હોય આ વર્ષે નાની બાળાઓ પણ ગરબે ધૂમી માતાજીની આરાધના કરી શકશે નહીં. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જુદાં જુદાં ગરબી મંડળો દ્વારા પરંપરાગત મંડપો બાંધવામાં આવ્યા છે. પરંતુ ત્યાં માતાજીની માત્ર સ્થાપના, પૂજા, અર્ચના જ કરવામાં આવી રહી છે. ગરબીઓ બંધ છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો