કોરોના મહામારીના કારણે સરકારે નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ મૂકયો હોય આ વર્ષે નાની બાળાઓ પણ ગરબે ધૂમી માતાજીની આરાધના કરી શકશે નહીં. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જુદાં જુદાં ગરબી મંડળો દ્વારા પરંપરાગત મંડપો બાંધવામાં આવ્યા છે. પરંતુ ત્યાં માતાજીની માત્ર સ્થાપના, પૂજા, અર્ચના જ કરવામાં આવી રહી છે. ગરબીઓ બંધ છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો