જામનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં એક સાથે ૧૫ ગેરકાયદેસર દુકાનોનું ડિમોલીશન કરવામાં આવી. આ પંદર દુકાનો મહાનગરપાલિકાની મંજૂરી વગર ખડકવામાં આવી હતી. એસ્ટેટ અધિકારીના જણાવ્યા મુજબ ૧૫ દુકાનોને તોડી પડતાં ૧૮૦૦ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે. આ સમગ્ર કામગીરી કમિશનર સતિષ પટેલની સુચના અનુસાર કરવામાં આવી હતી. જો કે આ ૧૫ દુકાન રાતો રાત નથી બની પરંતુ અધિકારીઓની મિલીભગતને કારણે બની છે તેવી ચર્ચા નગરજનો કરી રહ્યા છે. આવી રીતે તો ઘણાં વિસ્તારોમાં ગેરકાયદે બાંધકોમો ખડકી દેવામાં આવે છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો