જામનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં એક સાથે ૧૫ ગેરકાયદેસર દુકાનોનું ડિમોલીશન કરવામાં આવી. આ પંદર દુકાનો મહાનગરપાલિકાની મંજૂરી વગર ખડકવામાં આવી હતી. એસ્ટેટ અધિકારીના જણાવ્યા મુજબ ૧૫ દુકાનોને તોડી પડતાં ૧૮૦૦ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે. આ સમગ્ર કામગીરી કમિશનર સતિષ પટેલની સુચના અનુસાર કરવામાં આવી હતી. જો કે આ ૧૫ દુકાન રાતો રાત નથી બની પરંતુ અધિકારીઓની મિલીભગતને કારણે બની છે તેવી ચર્ચા નગરજનો કરી રહ્યા છે. આવી રીતે તો ઘણાં વિસ્તારોમાં ગેરકાયદે બાંધકોમો ખડકી દેવામાં આવે છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો