જામનગર કોર્પોરેશનમાં પાછલાં નવ વર્ષથી અંદાજે ૧૭ જેટલાં કર્મચારીઓ કેન્દ્ર સરકારની યોજના દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશન હેઠળ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓને નવ વર્ષથી પગારવધારો આપવામાં આવ્યો નથી. પગાર પણ અપૂરતો આપવામાં આવે છે. આ કર્મચારીઓનો સમાવેશ કોર્પોરેશનનાં મહેકમમાં કરવામાં આવ્યો નથી એટલે કે તેઓને ઉપલક કર્મચારીઓ ગણવામાં આવે છે. આ બધાં મુદ્દા પર મેનેજરો અને સમાજ સંગઠક કર્મચારીઓએ મંગળવારે કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો