ગુજરાતનાં લાંચ રૂશ્વત વિરોધી તંત્રએ કાલે મંગળવારે સુરત, વડોદરા, મહિસાગર અને ભરૂચ એમ કુલ ચાર જિલ્લાઓમાં લાંચના છટકા ગોઠવી કુલ ચાર સરકારી અધિકારીઓને ઝડપી લીધાં છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં લાંચ પ્રથા દાયકાઓ જૂની છે. પ્રત્યેક સરકારી વિભાગો માં જ્યાં પણ નાણાંકીય લેવડદેવડ થતી હોય અથવા નાણાં મંજૂર કરવાની જેઓની સતા હોય તેવાં અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારની ભ્રષ્ટ પ્રવૃત્તિઓ શા માટે ચલાવી લ્યે છે ? તે પણ તપાસનો વિષય લેખાવી શકાય. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને નાથવામાં સરકારનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. એસીબી ની કાર્યવાહી ઓ છતાં પ્રત્યેક કચેરીઓમાં વિવિધ પદ્ધતિઓ દ્વારા બેફામપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દર વર્ષે મહેસૂલ વિભાગ તથા પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં પ્રથમ અને બીજાં ક્રમે રહે છે !! અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ આરંભી હતી. પછી ગુજરાત સરકારે તેઓનું મંત્રીપદ છીનવી લીધું !
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો