જામનગર SOG એ બે શખ્સોને ચોખાનાં ૩૧૭ બાચકા ( ૧૭,૦૭૦ કિલો) સાથે ઝડપી લીધા છે. આ જથ્થાને શક પડતી મિલકત તરીકે કબજે લેવામાં આવ્યા છે. ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. નવા પીઆઈ આવ્યા પછી આ પ્રકારની કામગીરી પ્રથમ વખત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર માં ઘણાં વર્ષોથી પંજાબી સહિતનાં પરપ્રાંતિય શખસો કોઈ પણ પ્રકારના બિલ આધારો વિના શેરીએ શેરીએ ચોખાનું વેચાણ કરતાં જોવા મળે છે.
આ બંને શખ્સો રાજકોટ નાં છે. એકનું નામ મયંક અશોક સોજિત્રા અને બીજાનું નામ વૈભવ મનસુખ પાનસુરીયા છે. આ શખ્સો દરેડ જીઆઇડીસી વિસ્તારમાં થી ઝડપાયા છે. રાજકોટનાં આ શખ્સો અત્રે ગોડાઉન ભાડે રાખી તેમાં આ ધંધો કરી રહ્યા હતા.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો