છોટી કાશી જામનગરમાં શુક્રવારે ગણેશોત્સવનો અંતિમ દિવસ હોય, સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ અને સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળો વગેરે દ્વારા દુંદાળા દેવ શ્રી ગણેશજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. વિદાયના આ કાર્યક્રમો વાજતેગાજતે પરંપરા મુજબ યોજવામાં આવ્યા હતાં અને નગરજનોએ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો