છોટી કાશી જામનગરમાં શુક્રવારે ગણેશોત્સવનો અંતિમ દિવસ હોય, સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ અને સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળો વગેરે દ્વારા દુંદાળા દેવ શ્રી ગણેશજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. વિદાયના આ કાર્યક્રમો વાજતેગાજતે પરંપરા મુજબ યોજવામાં આવ્યા હતાં અને નગરજનોએ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો