મુખ્ય સામગ્રી પર જાઓ

વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં....


    જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ મહોત્સવ દરમિયાન સૌથી મોટી 23ફૂટ 2.5ઇંચ ની માર્કર પેન બનાવી નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે.

    દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત માત્ર 24કલાકમાં 23ફૂટ 2.5ઇંચ ની સૌથી મોટી માર્કર પેન બનાવવામાં આવી છે. 23ફૂટ 2.5ઇંચ ની અત્યાર સુધીની વિશ્વની સૌથી મોટી માર્કર પેન જામનગરમાં બનાવાઈ છે. જેને લઇને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જામનગરની વધુ એક સિદ્ધિ નોંધાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જામનગરના એઇટ વન્ડર ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતા શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં 26માં વર્ષે 9 મો વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. તેમ એઇટ વન્ડર્સ ગ્રુપના ભરતસિંહ પરમારે જણાવ્યું હતું.

    જામનગરે નવો રેકોર્ડ સર્જી ગિનિસ બુકમાં દાવો કરવામાં આવ્યો છે. કે, અગાઉ કેરળમાં 2020 માં 9 ફૂટની માર્કર પેન બનાવવામાં આવી હતી.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...