મુખ્ય સામગ્રી પર જાઓ

ફડાકાબાજ TRB કર્મચારીને નોકરી પરથી ઉતારી મૂકવામાં આવ્યો


    જામનગરમાં નાગનાથ નાકા નજીક નોકરી પર રહેલાં TRB કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ કાલે એક વાહનચાલકને જાહેરમાં ફડાકો ખેંચી લીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો અને સમગ્ર જામનગરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જે વાહનચાલકને ફડાકો ખેંચવામાં આવ્યો તે દિવ્યાંગ હોવાનું જાહેર થયું છે.
    ટ્રાફિક PI YJ વાઘેલાએ જણાવ્યુ હતું કે, દશરથસિંહ વાઢેર નામનાં આ કર્મચારીને ફરજમુકત કરવામાં આવ્યો છે.
    ફડાકાની આ ઘટના સમયે અતિ વ્યસ્ત એવાં નાગનાથ નાકા વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં સેંકડો વાહનો ફસાયા હતા. હજારો નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, મોટાભાગના ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની હાજરી હોતી નથી, ટ્રાફિક પોલીસ જ્યાં હાજર હોય છે ત્યાં પણ TRB કર્મચારીઓ જ ધમધમતા ટ્રાફિકનુ અણઘડ રીતે નિયમન કરતાં હોય છે. આ કર્મચારીઓને કોઈ ખાસ તાલીમ આપવામાં આવી નથી,પરિણામે શહેરમાં જુદાં જુદાં ટ્રાફિક પોઈન્ટ પર હજારો વાહનચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પોલીસનો ટ્રાફિક વિભાગ આ મુદા પ્રત્યે ગંભીર હોવાનું નજરે ચડતું નથી.
    જિલ્લા પોલીસ વડાએ શહેરની ટ્રાફિક નિયમન વ્યવસ્થાને અસરકારક બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું હજારો નગરજનો માની રહ્યા છે. વર્ષોથી જામનગરમાં ટ્રાફિક અવ્યવસ્થા જોવા મળી રહી છે. જેને પરિણામે સંખ્યાબંધ અકસ્માતો અને ઝઘડાઓ થતાં રહેતાં હોય છે.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...