જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં નવાગામ ઘેડ વિસ્તારમાં પાછલાં પંદરેક દિવસથી કોર્પોરેશન દ્વારા લોકોને આપવામાં આવતું પિવાનું પાણી ગંદુ હોય છે. તેમા ગટરનું પાણી ભળેલું હોય છે! (આ પ્રકારની ફરિયાદો સમયાંતરે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉઠે જ છે!) આ અંગે કોર્પોરેશન લોકોને સાંભળતી નથી, જવાબ નથી આપતી. ખુદ શાસકપક્ષના નગરસેવિકાના કામો નથી થતાં.
મંગળવારે વોર્ડ નંબર ૩ ના નગરસેવિકા રચનાબેન નંદાણીયા કમિશનરને આ મુદે જગાડવા ઢોલ વગાડતાં કમિશનર કચેરીએ પહોંચ્યા હતાં. આ તકે ત્રસ્ત રહેવાસીઓ પણ સાથે રહ્યા. મહાનગરપાલિકામાં ઢોલ કલાકો સુધી વાગતાં શાસકપક્ષ તથા કમિશનરની પ્રતિષ્ઠાના ધજાગરા થયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો