જામનગરની જી.જી. હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં સર્જરી વિભાગમાં કોરોના માટે ૨૩૨ બેડની નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ૨૨ વેન્ટીલેટર છે. તમામ બેડમાં ઓકિસજનની વ્યવસ્થા છે. આ ઉપરાંત લિનિયર એકસીલેટરેટર, સિટી સિમ્યુલેટર, પલ્મોનરી કાર્ડિએક તયા આધુનિક એકસ-રે મશીનનું લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે કયું<. મુખ્ય,મંત્રી સાથે આરોગ્યમંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં જામનગર ખાતે મેયર હસમુખભાઇ જેઠવા, કલેકટર રવિશંકર, કમિશનર સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ભાજપાના શહેર અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા વગેરે હાજર રહ્યા હતાં.
સ્વાગત પ્રવચન ડો. દિપક તિવારીએ તથા પ્રાસંગિક પ્રવચન ડો. નંદિની દેસાઇ, ડો. એસ.એસ. ચેટજી< દ્વારા કરવામાં આવ્યા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો