જામનગર મહાનગરપાલિકા એકાંતરે લોકોને ૩૦ થી ૪૦ મિનિટ પાણી આપે છે. પરંતુ જિલ્લાના કાલાવડ તાલુકાના રિનારી ગામમાં ગ્રામજનોને ઘરે-ઘરે, ૨૪ કલાક પાણી "નલ સે જલ" યોજના હેઠળ આપવામાં આવે છે. ઉંચાઇવાળા મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. પાણી સાથે મીટર જોડવામાં આવ્યા છે. જે થી પાણીનો વેડફાટ અટકાવી શકાય. લોકોને પાણી માટે વીજમોટરનો ઉપયોગ કરવો પડતો હતો. હવે મોટર બંધ થતાં વીજબિલ પણ ઘટયા છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો