જામનગર મહાનગરપાલિકા એકાંતરે લોકોને ૩૦ થી ૪૦ મિનિટ પાણી આપે છે. પરંતુ જિલ્લાના કાલાવડ તાલુકાના રિનારી ગામમાં ગ્રામજનોને ઘરે-ઘરે, ૨૪ કલાક પાણી "નલ સે જલ" યોજના હેઠળ આપવામાં આવે છે. ઉંચાઇવાળા મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. પાણી સાથે મીટર જોડવામાં આવ્યા છે. જે થી પાણીનો વેડફાટ અટકાવી શકાય. લોકોને પાણી માટે વીજમોટરનો ઉપયોગ કરવો પડતો હતો. હવે મોટર બંધ થતાં વીજબિલ પણ ઘટયા છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો