જામનગરના રાજપૂત યુવા સંગઠન તથા રાજપૂત સમાજ દ્વારા ૪ વર્ષથી કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરવામાં આવતી હતી કે, શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવે. તાજેતરમાં મહાનગરપાલિકાએ આ માંગણીનો સ્વિકાર કર્યો છે.
રાજપૂત સમાજ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવશે, આ સર્કલનું નામકરણ પણ કરવામાં આવશે.
આ અનુસંધાને રાજપૂત યુવા સંગઠનના રૂષિરાજસિંહ જાડેજા સહિતના યુવા અગ્રણીઓએ ૧૨ મી નવેમ્બરે રાજપૂત સમાજ ખાતે એકમેકના મોઢાં મીઠા કરાવ્યા તથા ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો