જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વોટર વર્કસ, ભૂગર્ભ ગટર, પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સિવિલ, લાઇટ, ફાયર, કોમ્પ્યુટર શાખાના કુલ રૂપિયા ૮૮ કરોડના કામોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦/૨૧ માટે આંતર માળખાકીય વિકાસના રૂપિયા ૭૦૨૨ કરોડના કામોનો પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
નવાગામ ઘેડ ઇએસઆઇ ખાતે વિવિધ પંપના તથા પેનલના કામ માટે રૂપિયા ૧૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૨,૩, ૪ માં સિવિલના કામો માટે રૂપિયા ૩ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નવા કોર્ટ બિલ્ડીંગ સામેના સર્કલમાં રાજપૂત સમાજ નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા તથા આ સર્કલના નામકરણ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો