મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • વિશ્વ આરોગ્ય સંસ્થા (દ્રહ્યષ્)ના વડા ટેડ્રીસ અધાનામ ધેબ્રેયાયસસ કોરોના પોઝિટીવ જાહેર થતાં કવોરન્ટાઇનમાં.
  • પાકિસ્તાને ગિલ્ગીટ-બાલ્ટીસ્તાનનો દરજ્જો બદલ્યો: ભારતે સ્પષ્ટ કહ્યું, આ વિસ્તારો અમારાં છે, ખાલી કરો.
  • ઉતરપ્રદેશનું લખનૌ એરપોર્ટ ગઇકાલે રવિવારથી અદાણી જૂથને સોંપાઇ ગયું છે.
  • ઉતરપ્રદેશના હાથરસ ગેંગરેપ-હત્યાકાંડની સુનાવણી આજે હાઇકોર્ટમાં: સસ્પેન્ડ એસપી દાખલ કરશે સોગંદનામું.
  • ગાઝિયાબાદ (રક્ષામંત્રીનો મતવિસ્તાર)માં કવિનગર વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ અનિલ અગ્રવાલના ગનરનું શંકાસ્પદ સ્થિતિમાં મોત: સર્કીટ હાઉસમાં રિવોલ્વરની ગોળીથી મોત.
  • દિપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને શુક્રવારે એનસીબીએ ડ્રગ્સ મામલે સમન્સ મોકલેલું. તેણીના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું છે: સમન્સ પછી પણ શનિવારે કરિશ્મા હાજર થઇ ન હતી: એનસીબીએ તેની મમ્મી તથા કવાન નામની એજન્સીને સમન્સ મોકલાવ્યું.
  • પૂનામાં લશ્કરી ભરતીનું કૌભાંડ: બનાવટી ભરતીકાંડ ખૂલ્યો, ૩ આરોપીની ધરપકડ: મિલિટરી ઇન્ટેલિજન્સની કૌભાંડ પકડવામાં મહત્વની ભૂમિકા: સરકાર મેદાનમાં શારીરિક ચકાસણીનો કેલ્પ: દરેક ઉમેદવાર પાસે દોઢ-દોઢ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી.
  • ગાઝિયાબાદમાં પોલીસે પકડેલાં એક ચોરના ટી-શર્ટ પર, "નમો અગેઇન": પોલીસે પ્રેસનોટ-ફોટો પરત મંગાવ્યો: ટ્રોલ થતાં પોલીસે ટવીટ પણ હટાવ્યું.
  • આરબીઆઇ (ભારતીય રિઝર્વ બેંક)ના ત્રણ પૂર્વ ગવર્નરોએ આપી ચેતવણી: બેંકોના વધતા એનપીએ ણિદ્વન-ષઇરફદ્વરમાનગ સ્સસઇતસી દેશની આર્થિક પ્રગતિ માટે ખતરો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...