જામનગરના પ્રથમ ફલાયઓવર માટે અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયા થયેલી પરંતુ માત્ર એક જ ટેન્ડર આવતા પ્રક્રિયા ત્રીજી વખત યોજવામાં આવી. જેમાં બે પાર્ટીએ ટેન્ડર આપ્યા. જે પૈકી ૧ ટેન્ડર ૪૧ ટકા અને બીજુ ટેન્ડર ૭૦ ટકા "ઓન" છે. ૪૧ ટકાવાળું ટેન્ડર રચના કન્સ્ટ્રકશનનું તથા ૭૦ ટકા ઓનવાળું ટેન્ડર ડી.આર. અગ્રવાલ કંપનીનું છે. રૂપિયા ૧૩૯ કરોડના કામ માટે ૪૧ ટકા ઓન એટલે રૂપિયા ૧૯૫ કરોડ, ૭૦ ટકા ઓન એટલે રૂપિયા ૨૩૬ કરોડ થાય. "ઓન" નું ગણિત સમજાવવા લોખંડ, સ્ટીલ, સિમેન્ટના ભાવવધારાને જવાબદાર લેખવામાં આવે છે.
આ ઓવરબ્રિજ (ફલાયઓવર) માટે નીચે સર્વિસ રોડ વગેરે માટેની કામગીરી કોર્પોરેશનને હજૂ શરૂ કરી નથી. ઇંદિરા રોડ પરિવર્તન નો અહેસાસ કરશે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો