- જામનગર મહાનગરપાલિકાના વર્તમાન શાસકો, પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થાય છે. આખરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક કાલે શુક્રવારે યોજાઇ ગઇ. મેયર હસમુખભાઇ જેઠવાએ મહાનગરપાલિકાની તમામ શાળાઓના કુલ રૂપિયા ૮૦૪ કરોડના અત્યાર સુધીના કામોની વિગતો જાહેર કરી સૌનો આભાર વ્યકત કર્યો છે.
- પ્રદેશ ભાજપાના અધ્યક્ષ પાટિલે સોશિયલ મીડિયામાં પત્રના માધ્યમથી દાવો કર્યો કે, પાછલાં ૧૮ વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોની આવક ૧૬ ગણી વધી. બાદમાં ઉહાપોહ થતાં, બે કલાકમાં તેઓએ આ પોસ્ટ ડીલીટ કરી છે.
- સરકારે ૪૮ પ્રોબેશ મામલતદારોને નિમણૂંક આપી છે. ધાર્મિક વિનોદભાઇ ડોબરિયાને લાલપુર તથા ઇશિતા પ્રદીપકુમાર મેરને કાલાવડ મૂકવામાં આવ્યા છે. સંજય સંગનભાઇ કેશવાલાને દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં નિમણૂંક આપવામાં આવી છે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પૂનાની જિનિવા કંપનીને વેકસીનના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે, જે પ્રથમ ભારતીય વેકસીન છે. તે મેસેન્જર આરએનએ ટેકનિક પર આધારિત છે.
- દુનિયામાં વેકસીનનું કામ કરતી ૧૪૨ કંપનીઓ પ્રાથમિક સ્ટેજમાં છે. ૪૨ કંપનીઓ પ્રથમ-૨૯ કંપનીઓ બીજા તબક્કાની ટ્રાયલમાં, ૧૪ કંપનીઓની ટ્રાયલ ત્રીજા તબક્કામાં, એક માત્ર ફાઇઝર વેકસીનને ઉપયોગની મંજૂરી અમેરિકા તથા જર્મનીમાં આપવામાં આવી છે.
- જામનગરના ૩ ખાનગી તબીબો ડો. ભરત છાયા (મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇના પિતા) ડો. મિતા પટેલ તથા ડો. કલ્પના ખંઢેરિયાએ કોરોનાની સારવાર જી.જી. હોસ્પિટલમાં મેળવી છે અને સ્વસ્થ થયા છે. સારવારની પ્રશંસા કરી છે.
- જામનગર જિલ્લામાં કોરોના વેકસીન માટે સિનિયર સિટીઝનનો સર્વે કરવામાં આવે છે. ૫૦ વર્ષથી ઉપરના લોકોની યાદી બનાવવામાં આવે છે. ૩ દિવસ આ સર્વે બાદ ૫૦ થી નીચેની વયના વિવિધ રોગો ધરાવતા દર્દીઓની યાદી બનાવવામાં આવશે. બીએલઓ આશા વર્કર કામગીરી કરે છે. જામનગરમાં એવરેજ ૫.૧૪ ટકા લોકો પોઝિટીવ જાહેર થાય છે. ૨.૮૦ લાખ લોકોના ટેસ્ટિંગ થયા, ૯૩૩૫ પોઝિટીવ, જે પૈકી ૯૫ ટકા લોકો સાજા થયા.
- સુરતનું ઓલપાડ પોલીસ સ્ટેશન વિવાદમાં છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં શરાબ, દારૂનો બેફામ ધંધો થાય છે. બે વર્ષ દરમિયાન વિવાદમાં સપાયેલાં ૩ પીઆઇ, ૩ પીએસઆઇ તથા ૭ એએસઆઇ સસ્પેન્ડ થયા છે!
- જીએસટી ઇ વે બિલમાં વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ઉંઝાના હિરેન પટેલની ધરપકડ થઇ છે.
- ખેડૂત આંદોલનમાં પંજાબથી વધુ ૩૦ હજાર ખેડૂતો ટ્રેકટર, ટ્રોલી (૭૦૦)માં દિલ્હી પહોંચ્યા: ગુપ્તચર તંત્રનો દાવો, સામ્યવાદી પક્ષોએ આંદોલન કબજે કયું<: ખેડૂતોએ ગુરૂગ્રામ બોર્ડર પર ડેરો જમાવ્યો: સરકારે તાકીદના ઓર્ડર માટે ૬૦ મેજિસ્ટ્રેટને આંદોલનના સ્થળે તૈનાત કર્યા. ખેડૂતો દિલ્હીને વધુ પ્રમાણમાં ઘેરશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો