- જુહુ (મુંબઇ)ના એક ગરીબ પરિવારના બાળકનું અપહરણ કરી રૂપિયા ચાર લાખમાં તેલંગણના રાજ્યમાં વેચી દેનાર ત્રણ આરોપીને પકડી લેતાં પોલીસ: ઘટના ૧૧ નવેમ્બર.
- વડોદરાના વાઘોડીયા પાસે સુરતથી પાવાગઢ જતાં લોકોને અકસ્માત થતાં ૧૧ લોકોના મોત અને ૧૭ ઘાયલ: સુરતના વરાછા (ભૂળ ભાવનગર) રહેવાસી પાવાગઢ દર્શને જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો:સીએમ વિજય રૂપાણીએ શોક વ્યકત કર્યો.
- રેવાડી (હરિયાણા)માં મંગળવારે ૫ સરકારી અને ૩ ખાનગી સ્કૂલોના ૮૦ બાળકો કોરોનાગ્રસ્ત: સરકારની ગાઇડલાઇન્સ મુજબ ૨ નવેમ્બરે ધોરણ ૯ થી ૧૨માં સુધીની સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી: જિલ્લા શિક્ષણા અધિકારીએ સ્કૂલોને ૧૫ દિવસ સુધી બંધ રાખવા અને સેનેટાઇઝ કરવાનો આદેશ કર્યો.
- ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૂદુલા સિન્હા (ઉં.૭૭)નું નિધન: પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે શોક વ્યકત કર્યો.
- કોંગ્રેસ પાસે જમીન પર સંગઠન ઘણું નબળુ: કપીલ સિબ્બલના નિવેદનપ પછી પી. ચિદબ્બરે પણ ઉઠાવ્યો કોંગ્રેસ સંઘઠન પર સવાલ.
- વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટે ભારત અર્થતંત્ર પર ચિંતા વ્યકત કરી: ગરીબ માટેની નીતી અંગે ચિંતા કરી, કહ્યું કે ગરીબોને આર્થિક મદદની જરૂર: કૌશિક બાસુ.
- આસામના ગૌહાટી એરપોર્ટ પાસેથી સેનાની વર્દી પહેરીને ફરતાં ૧૧ લોકોને પોલીસે પકડી લીધાં: પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન સૈનિકોના યુનિફોર્મ પહેરેલા ૧૧ લોકોની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેની અટક કરવામાં આવી: આ ૧૧ લોકોની પૂછપરછ કરતાં કોઇ ડોકયુમેન્ટ (આર્મી આઇડી) ન મળતાં અને તેની પાસેથી ૪ બાઇક અને એક કાર જપ્ત કરવામાં આવી.
- બિહાર ચૂંટણી દરમિયાન ભાજપે તેજસ્વી યાદને ધોરણ પાસ કહીને યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા: ભાજપે તારકિશોર પ્રસાદ (ધોરણ ૧૨ પાસ)ને ડેપ્યુટી સીએમ અને નાણાં ખાતુ આપતાં સવાલ કરતી આર.જે.ડી.
- દિલ્હીમાં કોરોના બેકાબૂ બનતાં હવે લગ્નમાં ૨૦૦ બદલ હવે ૫૦ લોકોને જ હાજર રાખી શકાશે.
- લક્ષ્મી વિલાસ બેંક પછી મહારાષ્ટ્રના જાલ જિલ્લાાં આવેલી મંથા કો.ઓ. બેંક પર ૬ મહિનનો પ્રતિબંધ મૂકાયો: છ મહિના સુધી ગ્રાહકો રૂપિયાની લેવડ-દેવડ નહીં કરે શકે: આરબીઆઇ
- અભિષેક બેનરજીની શોર્ટ ફિમ્મ "પાશ"ની એન્ટ્રી ઓસ્કરમાં: ધીરજ જિંદલ દ્વારા બનાવવામાં આવેલી ૧૩ મિનીટની આ શોર્ટ ફિલ્મમાં અભિષેક લીડ રોડમાં.
- હરિયાણા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજ એ પોતાના પર કોરોના વેકિસનની ટ્રાયલ કરવા કરી જાહેરાત.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો