મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમમાં સરકારને ૩૦ કરોડથી વધારે આવક: મનકી બાતની જાહેરાત પાછળ ૭ કરોડ ૨૯ લાખનો ખર્ચ: આરટીઆઇમાં ખુલ્લાસો.
  • ભારતીય ક્રિકેટ ટીમની જર્સી હવે એમપીએલ સ્પોર્ટસ દ્વારા ડિઝાઇન કરાશે: ભારતીય મેન્સ, વિમેન્સ અને અન્ડર ૧૯ ટીમની જર્સી માટે બોર્ડે એમપીએલ સાથે ત્રણ વર્ષનો કરાર:બીસીસીઆઇ.
  • ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા કેદારનાથ, બદ્રીનાય વગેરે સ્થળોએ બરફની વિશાળકાય ચાદર પથરાઇ ગઇ: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બરફમાં ફસાયેલા ૧૦ લોકોને સુરક્ષાજવાનોએ બચાવી લીધા: બરફના કારણે તાપમાનનો પારો ગગડયો.
  • દિલ્હીમાં કોરોના સંક્રમણ વધી જતાં ફરી લોકડાઉન અંગેનો પ્રસ્તાવ કેન્દ્રમાં મોકલતા સીએમ કેજરીવાલ.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી જયસિંઘરાવ ગાયકવાડ પાટિલે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપાની કારોબારી સમિતી અને ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું: ૧૦ વર્ષથી અવગણ થતી હતી.
  • સોમનાથ ખાતે આવેલી ત્રિવેણી સંગમ ખાતે પૂજા, અર્ચના અને સ્નાન કરવા માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટયા.
  • બિહારમાં નિતિશકુમારની સરકારમાં મંત્રાલયોની ફાળવણી: ગઇકાલે ૧૪ મંત્રીઓ શપથ લીધાં: ગૃહ વિભાગ નિતિશકુમાર પોતાના પાસે રાખ્યો.
  • સોમનાથ મંદિર ખાતે ભકયોનું ધોડાપુર: ભાવિકોની ભીડથી અવ્યવસ્થા અને સામાજિક અંતરની મુશ્કેલીઓ સર્જાઇ.
  • પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિકસ જૂથની વર્ચઅલ સમિટમાં આતંકવાદ મુદે, નામ લીધા વિના પાકિસ્તાનને આડે હાથ લીધું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...