મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમમાં સરકારને ૩૦ કરોડથી વધારે આવક: મનકી બાતની જાહેરાત પાછળ ૭ કરોડ ૨૯ લાખનો ખર્ચ: આરટીઆઇમાં ખુલ્લાસો.
  • ભારતીય ક્રિકેટ ટીમની જર્સી હવે એમપીએલ સ્પોર્ટસ દ્વારા ડિઝાઇન કરાશે: ભારતીય મેન્સ, વિમેન્સ અને અન્ડર ૧૯ ટીમની જર્સી માટે બોર્ડે એમપીએલ સાથે ત્રણ વર્ષનો કરાર:બીસીસીઆઇ.
  • ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા કેદારનાથ, બદ્રીનાય વગેરે સ્થળોએ બરફની વિશાળકાય ચાદર પથરાઇ ગઇ: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બરફમાં ફસાયેલા ૧૦ લોકોને સુરક્ષાજવાનોએ બચાવી લીધા: બરફના કારણે તાપમાનનો પારો ગગડયો.
  • દિલ્હીમાં કોરોના સંક્રમણ વધી જતાં ફરી લોકડાઉન અંગેનો પ્રસ્તાવ કેન્દ્રમાં મોકલતા સીએમ કેજરીવાલ.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી જયસિંઘરાવ ગાયકવાડ પાટિલે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપાની કારોબારી સમિતી અને ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું: ૧૦ વર્ષથી અવગણ થતી હતી.
  • સોમનાથ ખાતે આવેલી ત્રિવેણી સંગમ ખાતે પૂજા, અર્ચના અને સ્નાન કરવા માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટયા.
  • બિહારમાં નિતિશકુમારની સરકારમાં મંત્રાલયોની ફાળવણી: ગઇકાલે ૧૪ મંત્રીઓ શપથ લીધાં: ગૃહ વિભાગ નિતિશકુમાર પોતાના પાસે રાખ્યો.
  • સોમનાથ મંદિર ખાતે ભકયોનું ધોડાપુર: ભાવિકોની ભીડથી અવ્યવસ્થા અને સામાજિક અંતરની મુશ્કેલીઓ સર્જાઇ.
  • પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિકસ જૂથની વર્ચઅલ સમિટમાં આતંકવાદ મુદે, નામ લીધા વિના પાકિસ્તાનને આડે હાથ લીધું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...