મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરમાં જયેશ પટેલ, ગુજસીટોક કેસમાં જામનગરના કોઇ જ પોલીસ અધિકારી, કર્મચારીને આરોપીઓની આજુબાજુ "ફરકવા" દેવામાં આવતાં નથી, સમગ્ર મામલો બહારથી બદલી પામીને આવેલાં અધિકારીઓ જ સંભાળે છે. આ કેસનું સતાવાર બ્રિફિંગ પત્રકારો સમક્ષ આટલાં દિવસોમાં કયારેય થયું નથી. સંપૂર્ણ મામલો ગુપ્ત રાખવામાં આવ્યો છે. કેસનો અંત શું હશે? કેવો હશે? મુખ્ય આરોપીને જામનગર લાવી શકાશે? કેસની રાજકીય અસરો શું હશે? વગેરે બાબતોની ચર્ચા ચા-પાનના પ્રત્યેક ગલ્લે ચાલુ છે. પરંતુ ખરી વિગતોની કોઇને ખબર નથી!
  • જામનગર મહાનગરપાલિકાએ બાકી વેરા મામલે જપ્ત કરેલી મિલ્કતો પૈકી ૨૫૦ મિલ્કતોની હરાજી કરવામાં આવશે. તમામ મિલ્કતોની કિંમત વેલ્યૂઅર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે કોર્પોરેશન હરાજી કરે છે.
  • જામનગરમાં જયેશ પટેલની પત્ની (એક સાંધ્ય દૈનિકના તંત્રી) ધ્રુતિબેન જે. રાણપરિયાને ધમકી આપવાના ગુનામાં ધર્મિન માડમ નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ થઇ છે. નોંધનિય છે કે, જયેશ પટેલ વિરૂધ્ધ અગાઉ ઘણી ફરિયાદો નોંધાયેલી છે.
  • જામનગર નજીકના ચંગાની સીમના જમીન કૌભાંડ સંદર્ભે ભાનુ છૈયા તથા જયંતિ વ્યાસ નામના બે શખ્સોની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે.
  • મીગ કોલોની નજીકના તળાવમાં કોઇ માટી(કેરણ) ઠાલવી ગયું: આ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગોમાં સીસીટીવી: શું માટી નાખનાર વિરૂધ્ધ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ કરશે કે કેમ ?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...