મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • ગુજરાત સરકારે થોડાં સપ્તાહો પહેલાં ઠરાવ પસાર કરી રાજ્યમાં મહાપાલિકા-નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી નવેમ્બરના બદલે ફેબ્રુઆરી સુધી પાછી ઠેલી હતી. સરકારના આ ઠરાવને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિર્ણયને પણ તદ્‌ન ગેરકાયદે-અન્યાયી લેખાવવામાં આવ્યો છે. તાજેતરમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઇ છે, તો સ્થાનિક ચૂંટણીઓ પર પ્રતિબંધ શા માટે? તેવો પ્રશ્ન પૂછાયો છે.
  • રાજકોટમાં ૩૦૦ નેપાળી (વિદેશીઓ)ના આધારકાર્ડ કોઇ જ પુરાવા વિના બની ગયા: મામલો જાહેર થઇ જતાં જનસુવિધા કેન્દ્રના બે સંચાલક પ્રકાશ મારવિયા, સાગર રાણપરાની ધરપકડ: કોર્પોરેટરો નાગરિકોના ઓળખના દાખલા નાગરિકોને જોયા વિના જ કાઢી આપે છે.
  • અમેરિકામાં બાઇડન જિતશે તો પાંચ લાખ ગુજરાતીઓને ત્યાંની નાગરિકતા મળવા સંભવ: ટ્રમ્પની વિદેશનનીતિથી ભારતીયો નારાજ છે.
  • ફ્રાંન્સથી નીકળ્યા પછી ૩ રાફેલ યુધ્ધવિમાન ગઇરાત્રે જામનગર એરબેઝ આવી પહોંચ્યા હતાં. આજે સવારે આ વિમાનો ઇંધણ ભરી અંબાલા એરબેઝ જવા રવાના થયા છે.
  • ગુજરાતમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ ૯ થી ૧૨) દિવાળી પછી શરૂ કરવા સરકારનો નિર્ણય: બુધવારે રાજ્યના પ્રધાનમંડળમાં આ નિર્ણય લેવાયો છે. જો કે શાળાઓ શરૂ થતાં પહેલાં આરોગ્યતંત્ર સાથે મળી સરકાર બનાવશે એકશન પ્લાન: કોરોના સંબંધી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
  • અમદાવાદમાં "સંપૂર્ણ ગેરકાદે" કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટથી ૧૦૦ ટન આરસીસી સ્લેબ જમીનદોસ્ત: બાદમાં આગ લાગી: ૧૨ લોકો મોતને ભેટયા: પ્રધાનમંત્રીએ આ અંગે ટિવટ કર્યા પછી સીએમ, અમદાવાદના મેયર તથા સરકારીતંત્રોએ દોડવાનું શરૂ કયું<
  • આઇપીએલમાં મુંબઇ-બેગ્લોરના ૩-૩ બેટધરોએ ૪૦૦ પ્લસ રન બનાવ્યા: મુંબઇ-હૈદરાબાદના ૪-૪ બોલરોએ ૧૦ પ્લસ વિકેટો લીધી: હૈદરાબાદનો એક બેટસમેન ૪૦૦ પ્લસ રન બનાવી શકયો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...